News of Friday, 11th June 2021
જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો :નવા 29 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 66 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જૂનાગઢ સિટીમાં 21 કેસ ,જૂનાગઢ તાલુકામાં 3 કેસ, માળીયામાં 9 કેસ, વંથલીમાં 8 કેસ, કેશોદ અને વિસાવદરમાં 7-7 કેસ,માંગરોળમાં 5 કેસ, મેંદરડામાં 3 કેસ, માણાવદરમાં 2 કેસ અને ભેસાણમાં 1 કેસ નોંધાયો
જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, આજે કોરોનાના નવા 29 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 66 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે
જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 29 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 21 કેસ ,જૂનાગઢ તાલુકામાં 3 કેસ, માળીયામાં 9 કેસ, વંથલીમાં 8 કેસ, કેશોદ અને વિસાવદરમાં 7-7 કેસ,માંગરોળમાં 5 કેસ, મેંદરડામાં 3 કેસ, માણાવદરમાં 2 કેસ અને ભેસાણમાં 1 કેસ નોંધાયો છે
(9:07 pm IST)