News of Saturday, 11th June 2022
ખરીફ પાકમાં ટેકાના ભાવ વધારાથી ખેડુતોને મોટી રાહત : વિજય કોરાટ
રાજકોટ તા. ૧૧ : કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં ૧૪ ખરીફ પાક માટે ટેકાના ભાવમાં કરાયેલ વધારો આવકારદાયક હોવાનું પ્રદેશ કિસાન મોરચાના મંત્રી વિજયભાઇ કોરાટે જણાવ્યુ છે.
તેઓએ વડાપ્રધાનને અભિનંદન પાઠવતા જણાવ્યુ છે કે સરકારે ખેડુતોને તેમની ઉપજના દોઢ ગણા ભાવ વધુ ચુકવવા માટે પાકના ટેકાના ભાવમાં વધારો કર્યો તેનાથી ખેડુતો અને કૃષિજગતમાં ખુશી છવાઇ છે. ડાંગર, જુવાર, બાજરો, રાગી, મકાઇ, તુવેર, અડદ સહીતના ૧૪ પાકોનો સમાવેશ થયો છે.
ભાજપની નરેન્દ્રભાઇની સરકારે ખેડુતોને આપેલ વચન સમયાંતરે પૂર્ણ કરી બતાવી વિશ્વાસ સંપાદિત કર્યો હોવાનું અંતમાં વિજયભાઇ કોરાટે જણાવ્યુ છે.
(1:24 pm IST)