પોરબંદરના રાતીયા પાસે ગેરકાયદેસ ખનીજ ખોદકામ ઉપર દરોડો : ટ્રક અને ૪ ટ્રેકટરો સહિત લાખોનો મુદ્દામાલ ઝડપાયો
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૧૧ : રાતીયામાં દરિયાકિનારા નજીક ગેરકાયદે ચાલતા ખનીજ ખોદાકામ ઉપર કલેકટરની સુચનાથી મામલતદારની ટીમે દરોડો પાડીને ટ્રક લોડર તથા ૪ ટ્રેકટરો સહિતા ૫૦ લાખનો મુદ્દામાલ ઝડપાયો.
કલેકટરશ્રી પોરબંદરની સુચનાથી અને પ્રાંત અધિકારી પોરબંદરના માર્ગદર્શન હેઠળ મામલતદાર પોરબંદર (ગ્રામ્ય)ની ટીમ દ્વારા બાતમીના આધારે રાતીયા ગામમાં સરકારી ખરાબામાંથી દરિયા કિનારાના જંગલને અડિને રેતીનું ગેરકાયદેસ ખનન પકડી પાડવામાં આવ્યુ છે. આ ખનન દેવશી જી.કેશવાલા રહે.રાતીયા દ્વારા કરવામાં આવતુ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતા તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી (૧) ટ્રક, (૪) ટ્રેકટર (૧) લોડર મળી કુલ અંદાજે રૂા. ૫૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લીધેલ છે. આગળની કાર્યવાહી માટે ખાણખનીજ વિભાગને રીપોર્ટ કરવામાં આવેલ છે. જે બાબતે ઉંડાણપૂર્વક તપાસ થયા બાદ ખનીજચોરીનો અંદાજો મળી શકે તેમ છે.