News of Thursday, 11th August 2022
ખંભાળિયામાં ઘી મહાપુજાના દર્શન
ખંભાળિયા : શ્રાવણ માસના બીજા સોમવાર ખંભાળિયાના શીવ મંદિરોમાં ઘીની મહાપુજાના દર્શન યોજાયા હતા. મામનાથ મહાદેવ, શંખેશ્વર, પાળેશ્વર, રામનાથ મહાદેવ મંદિરે, પંચમુખી મહાદેવના ઘી મહાપુજાના દર્શન યોજાયા હતા. દર્શન તથા અરતીમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટતા મેળા જેવું વાતાવરણ સર્જાયું હતું. ખંભાળિયાના મહાદેવ વાડામાં સિદ્ધનાથ મહાદેવ, વિદ્યાશંકર મહાદેવ, શહેરમાં જડેશ્વર મહાદેવ, સુખનાથ, ભીડભંજન, કોટેશ્વર, ભોલેશ્વર, નર્મદેશ્વર, ભૂતનાથ તથા ગ્રામ્ય પંથકમાં ધીંગેશ્વર, નાગનાથ, કાશી વિશ્વનાથ, કોટેશ્વર, દંતેશ્વર વગેરે સ્થળોએ ભાવિકો ઉમટ્યા હતા તથા રૂદ્રાભિષેક, યજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. (તસ્વીર-અહેવાલ : કૌશલ સવજાણી ખંભાળિયા)(
(12:52 pm IST)