મોરબી : લીલાપર રોડ પર પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો, કારણ અકબંધ.
મોરબીના લીલાપર રોડ પર રહેતી પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામ્યો છે. આ અંગેની જાણ સીટી એ ડિવીઝન પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર લીલાપર રોડ નીલકમલ સોસા.ઇન્ડીયા ટાઇલ્સની સામે રહેતી ૩૦ વર્ષીય ગીતાબેન સોલંકી નામની પરિણીતાએ વારના પાંચ વાગ્યાના અરસામાં પોતાના ઘરે પોતાની જાતે ગળેફાંસો ખાવાનો પ્રયત્નકર્યો હતો. જેની જાણ પરિવારજનોને થતાં તુરંત તેને સારવાર અર્થે આયુષ હોસ્પીટલમાં દાખલ કરી હતી. હાલ પરિણીતા સારવાર હેઠળ છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તેના લગ્ન આજથી 6 વર્ષ પહેલા જીતેન્દ્રભાઇ સોલંકી સાથે થયા હતા. હાલ પોલીસે આપઘાતના પ્રયાસનું ચોક્કસ કારણ જાણવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.