સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

થાનગઢમાં ગટર સમસ્યા :

હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે થાનગઢમાં છેલ્લા ઘણા સમયથી ગટરોના ઢાંકણા ખૂલા હોવાથી ગંદકીનું પ્રમાણ વધતુ જાય છે ત્યારે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જયારે વોર્ડ નં.૩ના ઉમેદવાર હર્ષદભાઇ પાટડીયાને લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. વી.બી.નારાયણી પાસે પાણીની ટાંકી રોડ પરથી પસાર થતા લોકોના વાહન વારંવાર ગટરના ઢાંકણા ખુલા હોવાથી વાહનો ગટરમાં પડી જાય છે અને લોકોને પણ ચલાવામાં મુશ્કેલી પડી રહી જેવા અનેક પ્રશ્નોને લઇ લોકો રોષે ભરાયા છે. લોકોનું કહેવું છે કે, આગામી સમયમાં આ રસ્તા રીપેરીંગ કરવામાં નહી આવે તો આગળ કાર્યવાહી કરવામાં આવશે.

(12:10 pm IST)