આજથી ઉપલેટા મિઠાઇ અને ફરસાણ એસોસીએશનની તમામ દુકાનો સવારે ૬ થી સાંજના ૬ સુધી જ ખુલી રહેશે
તમામ ધંધાર્થીઓને લોકડાઉનમાં જોડાવા પ્રમુખ પિયુષભાઇ માકડીયાની અપીલ
(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા.૧૨: હાલમાં સમગ્ર દેશ સહીત ગુજરાતમાં ઘાતક કોરોના મહામારીએ માઝા મૂકી છે સરકારી તથા ખાનગી હોસ્પિટલો હાઉસફૂલ છે કયાંય જગ્યા નથી ઘરે આઇસોલેશન દર્દીઓની સંખ્યા પણ દિવસે દિવસે વધી રહી છે નાની ઉંમરના યુવાનો પણ તેનો ભોગ બની રહયા છે આવી વરવી સ્થિતિમાં સરકાર પણ પહોંચી શકે તેવી સ્થિતી નથી ત્યારે હવે લોકોએ પણ તેમની નૈતિક ફરજ સમજી કામ વગર બહાર ન નીકળવું, એવું લાગે તો તુરત જ ટેસ્ટ કરાવવા મોડુ ના કરવુ, આ ગંભીર સ્થિતીને ધ્યાને લઇ અહિંસાના મીઠાઇ ફરસાણ એસોસીએશને સોમવારથી તમામ દુકાનો ફકત સવારે ૬ થી સાંજના ૬ વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે.
ઉપરોકત બાબતે એસોસીએશનના પ્રમુખ મીઠાઇઘર વાળા પિયુષભાઇ માકડીયાએ આવી મહામારીની ચેઇન તોડવા તમામ ધંધાર્થીઓ સ્વૈચ્છીક રીતે લોકડાઉનમાં જોડાય અને બંધની કડક અમલવારી કરે તેવી અપીલ કરેલ છે.