સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

પોરબંદરઃ સરકારી હોસ્પિટલથી કોરોના કેસના અપાતા આંકડા ભરોસાપાત્ર નહીં હોવાની ફરિયાદો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧રઃ સરકારી હોસ્પિટલમાંથી કોરોના પોઝીટીવ કેસના જે આંકડા જાહેર કરાય છે. તે ભરોસાપાત્ર નહીં હોવાની ફરીયાદો ઉઠી છે.

સરકારી હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસથી સરેરાશ કોરોના પોઝીટીવના પ-પ કેસ દર્શાવાય છે પરંતુ હકીકત જુદી હોવાની ફરીયાદો ઉઠી છે. હકીકતમાં જિલ્લામાં કોરોનાના દરરોજ ૧પ થી ર૦ કેસ હોવાની ચર્ચા છે. તેમાં પણ ગ્રામ્ય વિસ્તારના આંકડા નહીંવત જેવા હોવાની રાવ છે. ગઇકાલે કોરોનાના પ૬૧ કેસમાં ટેસ્ટીંગ કર્યા હતાં જેમાં પ કેસ કોરોના પોઝીટીવનું સતાવાર જાહેર કરેલ છે. કુતિયાણા પંથકમાં કોરોનાના આંકડા પણ નહીંવત હોય છે. કોરોના કેસના સરકારે સાચા આંકડા જાહેર કરીને લોકોને જાગૃત કરવા અને ગેરસમજો દુર કરવા માંગણી ઉઠી છે.

(1:27 pm IST)