સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

બગસરામાં સંસ્થાઓએ જાહેર કરેલ લોકડાઉનનો ઉલાળિયોઃ

(સમીર વિરાણી દ્વારા) બગસરા, તા.૧૨: કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇ  વિવિધ સંસ્થાઓ વેપારી મહામંડળ, ચેમ્બર ઓફ કોમર્સ તથા અન્ય સંસ્થાઓ એ તા ૯-૪-૨૦ ૨૧ થી તા ૩૦- ૪- ૨૦ ૨૧ સુધી બપોર પછી ત્રણ વાગ્યા પછી સ્વેચ્છિક લોકડાઉન જાહેર કર્યું હતું જેમાં બગસરાની સંસ્થાઓ એ કારેલ લોકડાઉનનો ઉલાળિયો કર્યો હતો બગસરામાં મોટાભાગની દુકાનો ખુલ્લી રાખીને વેપારીઓ વેપાર કરતા હતા જેમાં અમુક દુકાનો ખુલ્લી અને અમુક દુકાનો બંધ હતી આમ સંસ્થાઓએ કરેલ સ્વૈચ્છિક લોકડાઉન માં કોઈપણ જાતનું પ્રતિસાદ મળ્યો ન હતો લોકડાઉન ને લીધે લોકોના ધંધા રોજગાર પર અસર થાય એટલા માટે ગામે તેનો ફિયાસ્કો કર્યો હતો તેવું લોકોમાં ગણગણાટ સાંભળવા મળ્યો હતો આ લોકડાઉન જો બપોર ના ૧ થી ૪ અથવા સાંજના સાત પછી રાખવામાં આવ્યું હોત તો લોકો દ્વારા તેનો વધુ પ્રતિસાદ મળે તેમ લોકોમાં અને વેપારીઓમાં જાણવા મળ્યું હતું.

(1:32 pm IST)