સુરેન્દ્રનગરનાં નાના અંકેવાળીયામાં હત્યા
જુની અદાવતમાં હત્યા થતા સનસનાટીઃ ૩ની અટકાયત
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૨: જિલ્લાના લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામ માં આધેડની હત્યાના બનાવ સામે આવ્યો છે ત્યારે રાત્રિ દરમિયાન નાના અંકેવાળીયા ગામ માં રાત્રી દરમિયાન આધેડ હમીરભાઇ હરીભાઇ સોલંકી ઉપર બોથડ પદાર્થથી અને લોખંડના પાઇપ વડે ત્રણ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આ ત્રણ શખ્સો નાસી છૂટવા પામ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર નાના અંકેવાળીયા ગામ ના હમીરભાઇ હરીભાઇ સોલંકી સાથે જૂની અદાવત રાખી અને હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળી રહ્યું છે.
ત્યારે આ મરનાર ઉપર હુમલો કરનારા ત્રણ શખ્સોમાં વાઘેલા દેવજીભાઈ દાનાભાઈ રહેવાસી નાના અંકેવાળીયા તથા રાઠોડ દેવજીભાઈ ડાયાભાઈ રહેવાથી નાના અંકેવાળીયા ની હાલમાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને કાયદેસરનો ગુનો દાખલ કરી અને તપાસ કામગીરીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે અનેᅠ અન્ય એક આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે હાલમાં આ બાબતની વધુ તપાસ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પોલીસ મથકના પી.એસ.આઇ એચ.એમ રબારી ચલાવી રહ્યા છે.