સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

ખંભાળિયા પૂર્વ પાલીકા પ્રમુખ દિનેશભાઇ દત્તાણી, પાલિકા ઇજનેર મુકેશ જાની કોરોના સંક્રમિત

નિવૃત શિક્ષક કાળુભાઇ બારાઇનું મૃત્યુ : કોર્ટના કર્મચારીનો રિપોર્ટ પણ પોઝીટીવ

(કૌશલ સવજાણી દ્વારા)  ખંભાળીયા તા.૧ર : કોરના મહામારી વ્યાપક થતી જાય છે જેમાં ગઇકાલે ખંભાળિયા પાલિકાના  પૂર્વ પ્રમુખ તથા પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી દિનેશાઇ દત્તાણી કોરોના સંક્રમિત થતા તેમને ખંભાળીયાની વ્રજ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. દિનેશભાઇએ એક નિવેદનમાં છેલ્લ પાંચ સાત દિવસમાં તેમના સંપર્કમાં આવેલા તમામને ચેકીંગ કરી લેવા અનુરોધ કર્યો હતો. પાલિકા ઇજનેર મુકેશભાઇ જાનીને પણ કોરોના સંક્રમણ થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તો  પાલિકાના અન્ય એક-બે અધિકારી પણ તાદરસ્ત તબિયતના હોવાનું કહેવાય છે.

તો રેવન્યુના એક બે તમામ મંત્રી તથા ન્યાયતંત્રના અધિકારીઓ પણ કોરોના ગ્રસ્ત થઇ ગયાનું કહેવાય છે.

(2:01 pm IST)