News of Monday, 12th April 2021
કોરોના સામે ત્રંબામાં સ્વૈચ્છિક લોકડાઉનઃ બપોરે બેથી બજારો બંધઃ બીજા દિવસે સવારે ખોલવાની
રાજકોટઃ કોરોના મહામારીના વધી રહેલા કેસો અને મૃત્યુદરને કારણે લોકો સ્વયંભુ જાગૃત બની રહ્યા છે. રાજકોટ તાલુકા જીલ્લાના અનેક ગામોમાં લોકો જાતે જ લોકડાઉન કરવા માંડ્યા છે. રાજકોટના ત્રંબા ગામમાં પણ ઘેર ઘેર બિમારીના ખાટલા હોઇ કોરોના કાબુમાં ન આવે ત્યાં સુધી ત્રંબા ગામના લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન પાળવાનું નક્કી કર્યુ છે.
એ મુજબ સવારે ૭ થી બપોરના ૨ સુધી જ બજારો-દૂકાનો ખુલ્લા રહેશે. બપોરે બે થી બીજા દિવસના સવારના સાત સુધી દૂકાનો બંધ રાખવામાં આવશે. તેમ ત્રંબાથી જી. એન. જાદવે જણાવી બંધ બજારોની તસ્વીરો મોકલી હતી.
(4:20 pm IST)