સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : નવા 87 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 43 કેસ ,જૂનાગઢ તાલુકામાં 5 કેસ, કેશોદ અને માળીયામાં 8-8 કેસ, માણાવદર અને વિસાવદરમાં 6-6 કેસ, મેંદરડામાં 4 કેસ, માંગરોળમાં 3 કેસ, ભેસાણ,અને વંથલીમાં 2-2 કેસ, નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે, આજે કોરોનાના નવા 87 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 87 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 43 કેસ ,જૂનાગઢ તાલુકામાં 5 કેસ, કેશોદ અને માળીયામાં 8-8 કેસ, માણાવદર અને વિસાવદરમાં 6-6 કેસ, મેંદરડામાં 4 કેસ, માંગરોળમાં 3 કેસ, ભેસાણ,અને વંથલીમાં 2-2 કેસ, નોંધાયા  છે

(8:55 pm IST)