સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

ભાવનગરમા રેકર્ડબ્રેક ૧૧૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં નોંધાયેલા કુલ ૭,૯૧૯ કેસો પૈકી ૮૪૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર: ભાવનગર જિલ્લામા આજરોજ ૧૧૦ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૭,૯૧૯ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૪૦ પુરૂષ અને ૩૧ સ્ત્રી મળી કુલ ૭૧ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાના કોળિયાક ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાનાં શાહપુર ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના રતનપર(ગા) ગામ ખાતે ૧, વલ્લભીપુર ખાતે ૨, વલ્લભીપુર તાલુકાના પાટણા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાનાં વેળાવદર ગામ ખાતે ૧, મહુવા ખાતે ૨, ઘોઘા તાલુકાના મોરચંદ ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૩, ઘોઘા તાલુકાના વાણુકડ(ઘો) ગામ ખાતે ૨, સિહોર તાલુકાના રામધરી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પાદરી(ગો) ગામ ખાતે ૧, સિહોર ખાતે ૨, ઉમરાળા તાલુકાનાં ધારૂકા ગામ ખાતે ૧, મહુવા તાલુકાના નાની જાગધાર ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના તગડી ગામ ખાતે ૧, જેસર તાલુકાના વીરડી ગામ ખાતે ૧, ગારીયાધાર તાલુકાના ખોડવદરી ગામ ખાતે ૧,  તળાજા ખાતે ૧, ભાવનગર તાલુકાના કોબડી ગામ ખાતે ૨, ગારીયાધાર તાલુકાના માંડવી ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૩, પાલીતાણા તાલુકાના ડુંગરપુર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પીપરલા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ટીંબી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ત્રાપજ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના કોબડી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના કરલા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ઠાડચ ગામ ખાતે ૧ તેમજ મહુવા તાલુકાના રાજાવદર ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૩૯ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૩૩ અને તાલુકાઓમાં ૩૭ કેસ મળી કુલ ૭૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૭,૯૧૯ કેસ પૈકી હાલ ૮૪૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા ૭૬ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(8:57 pm IST)