મોરબીનાં એલઆરડીના નિતુ પરમારના આપઘાતના કારણ અંગે તપાસ
(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૧૨: એ ડિવિઝન પોલીસ લાઈનમાં રહેતી મહિલા પોલીસ કર્મચારીએ અગમ્ય કારણોસર પોતાના કવાર્ટરમાં આપધાત કરી લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો તો બનાવની જાણ થતા જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ દોડી આવીને વધુ તપાસ હાથ ધરી છે.
બનવાની મળતી વિગત મુજબ મોરબી હેડ કવાર્ટરમાં ફરજ બજાવતી અને એ ડિવિઝન પોલીસ લાઈનમાં પોલીસ કવાર્ટરમાં રહેતી નિતુબેન એન. પરમાર નામની એલઆરડી મહિલા કર્મચારીએ પોતના કવાર્ટરમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો તે ઘટનાને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.ધટના જાણ થતાં એસ.પી. સુબોધ ઓડેદરા, ડીવાયએસપી મુનાફ પઠાણ, એલસીબી તેમજ એ ડીવીઝનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતક મહિલા કર્મચારીના મૃતદેહને પી એમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.