ગોંડલમાં સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા. ૧૧ : શ્રી ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ ગોંડલ દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમ આયોજન રવિદર્શનજી વ્યાસના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતો. જેમાં LKGથી એમબીબીએસ કક્ષા સુધીના વિદ્યાર્થીઓને સીલ્ડ, પ્રમાણપત્ર, રોકડ , ફુલ સ્કેપ ચોપડા સહિત વસ્તુઓ દ્વારા કુલ ૭૫ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વર્ગીય બીપીનચંદ્ર ભટ્ટના સ્મરણાર્થે તેમના પરિવાર દ્વારા સીલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આઝાદીના ૭૫માં વર્ષ નિમિત્તે અમળત મહોત્સવ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે. ત્યારે આ જ્ઞાતિ દ્વારા રાષ્ટ્રગીત ગાઈ અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ તકે વેક્સિનેશન માટેનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
જેમાં ૭૫ વ્યક્તિઓએ બુસ્ટર ડોઝ લીધેલ હતા. આ તકે રશ્મિનભાઈ જોશી, વિજયભાઈ જોશી (માલસર) ગજાનંદ આશ્રમ , જયંતીભાઈ દવે , કશ્યપભાઈ ભટ્ટ, મયુરભાઈ મહેતા વિગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી મનીષભાઈ જોશીએ કર્યું હતું. અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નીરજભાઈ ઠાકર પંકજભાઈ પંડ્યા, પંકજભાઈ દવે, કળણાલભાઈ ભટ્ટ, વિવેકભાઈ ભટ્ટ, કેદારભાઈ ભટ્ટ, હર્ષિતભાઈ ભટ્ટ, ભાસ્કરભાઈ વ્યાસ, , સાવન જોશી, તેજસભાઈ પંડ્યા, ધર્મેશભાઈ પંડ્યા, આશિષભાઈ પંડ્યા, જલ્પનભાઈ જોશી, કેવલ જોશી વિગેરેએ જહેમત ઉઠાવી હતી.