News of Friday, 12th August 2022
અમરાપુર ગીર ગામમાં ત્રિરંગા યાત્રા
માળીયા હાટીના : દેશના નાના મોટા દરેક સિટી શહેરો અને ગામડાઓમાં પણ ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. જેના અનુસંધાને માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગીર ગામમાં સરપંચ ગામ લોકો અને સ્કૂલઓ દ્વારા વાજતે ગાજતે નાચ ગાન સાથે અંકુર પ્રાથમિક શાળા અને કે કે મોરી હાઇસ્કુલના ૨૦૦૦થી પણ વધારે વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને મહિલા સરપંચ હેતલબેન, ભયલું ભાઈ, ભગતસિંહભાઈ, કાનજીભાઈ યાદવ, દિલીપભાઈ સિસોદિયા, વલભભાઈ કળથીયા, ભયલુભાઈ સોલંકી, રાજેશભાઈ ભાલોદિયા સહિતના ગામના ૩૦૦૦ જેટલા લોકોની હાજરીમાં ભારત માતાકી જય જય હોના નારા સાથે અમરાપુર ગામની ગલીએ ગલીએ ત્રિરંગો લહેરાવીને આખા ગામમાં ત્રિરંગા યાત્રા નીકળી હતી. ગામની દરેક દુકાને રાષ્ટ્રધ્વજ જોવા મળ્યા હતા.
(1:24 pm IST)