સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th August 2022

જામનગરમાં લાખોટા તળાવ ખાતેથી તિરંગા યાત્રા નીકળી : મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને શાળાના બાળકો હાથમાં તિરંગા સાથે જોડાયા : લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે મહાનુભાવોના હસ્તે પુષ્પાંજલિ અર્પણ

જામનગર: જામનગરમાં લાખોટા તળાવ ખાતેથી તિરંગા યાત્રા નીકળી હતી. જામનગર મહાનગરપાલિકાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના સહયોગથી આયોજિત આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને શાળાના બાળકો હાથમાં તિરંગા સાથે જોડાયા હતા. આ યાત્રા જામનગરના રણજીત નગર ખાતે આવેલા લેઉવા પટેલ સમાજ નજીક આવેલા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે મહાનુભાવોના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરી તિરંગા યાત્રા સંપન્ન થઈ હતી.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:32 pm IST)