News of Friday, 12th August 2022
અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા ના માતુશ્રી શારદાબેન ભાદાભાઈ પાનસુરીયા દ્વારા મહિલા મંડળની બહેનોને તિરંગા નું વિતરણ
સાવરકુંડલા::આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમા અને પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ દ્વારા આયોજિત હર ધર તિરંગા કાર્યક્રમને સફળ બનાવવા માટે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા ના માતુશ્રી
શારદાબેન ભાદાભાઈ પાનસુરીયા દ્વારા સાવરકુંડલા શહેરના રામજી મંદિર ખાતે તિરંગા નું વિનામૂલ્ય વિતરણ કરી દરેક લોકોને પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી આઝાદીના અમૃતમ ઉજવવા શારદાબા પાનસુરીયાએ અનુરોધ કર્યો હતો.
(1:34 pm IST)