જુનાગઢમાં રોજગાર બ્રાહ્મણ યુવક મંડળ દ્વારા રક્ષાબંધને ૪પ૦ પરિવારોએ સમુહ ભોજન લીધુ
જુનાગઢ : રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ અને સમસ્ત જ્ઞાતિ પરિવાર દ્વારા જુનાગઢ ગાંધીગ્રામ ખાતે આવેલ વિદ્યાર્થી ભુવન ખાતે રક્ષાબંધન નિમિતે સમુહ ભોજનનું આયોજન કરાયુ હતુ. જેમાં ૪પ૦થી વધુ પરિવારોએ લાડવા ભજીયા શાક રોટલી સહિતનું ભોજન જ્ઞાતિજનોએ લીધુ હતુ. આ તકે ધારાસભ્ય ભીખાભાઇ જોષી, અશોકભાઇ પંડયા અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી, શશીકાંતભાઇ બોરીચાગર યુવક મંડળના પ્રમુખ કમલેશભાઇ ભરાડ તેમજ રા. બ્રા. જ્ઞાતિ સેવા સંઘના પુર્વ પ્રમુખ ભીખુભાઇ જોષી પરસોતમભાઇ મહેતા વિઠલભાઇ શીલુ તેમજ મનુભાઇ રવિયા, દેવેન્દ્રભાઇ શીલુ, મનીષ મહેતા, ભદ્રેશભાઇ રવિયા સહિતના જ્ઞાતિજનો ઉપસ્થિત રહયા હતા અને જગદીશભાઇ મહેતા દ્વારા રસોઇ બનાવવાની સેવા આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનજે સફળ બનાવવા યુવક મંડળની ટીમે ભારે જહેમતઉઠાવી હતી. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)