દસાડાના ભાણદાસબાપુના ખબર અંતર સ્નેહમિલન સમારોહ યોજાયો
વઢવાણ : દસાડા ગામના ભાણદાસબાપુ ના ખબર અંતર પુછવા અંતર્ગત શુભેચ્છા કાર્યક્રમ કબીર આશ્રમના પ્રાંગણમાં યોજાયો ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી જિલ્લા સદસ્ય પીકેપરમાર નટુની ઠાકોર દસાડા ગામના સરપંચ સાહેબખાનજી મલેક, ફારૂકખાનજી મલેક, મિનાજખાનજી મલીક, દસાડા પીએસઆઇ શયારાસાહેબ, દેવજીભાઈ રાઠોડ, જગદીશભાઈ પરમાર, બાબુલાલ સોલંકી, વીએચમકવાણાઅને દસાડા રોહીતવંશી માયાવંશી વસ્તીપંચના આગેવાનો ખારાપાટ વિસ્તાર ના સમાજ આગેવાનો નાત આગેવાનો શિક્ષિત આગેવાનો યુવાનો બહોળી સંખ્યામાં સામાજિક સન્માન અને ખબર અંતર પુછવા પધાર્યા હતા ભેટપુજા કરી સાલ ઓઢાડી સન્માન કર્યું હતું દસાડા રોહીતવંશી અને માયાવંશી વસ્તીપંચના આગેવાનો એ પણ રોકડ ભેટપુજા કરી હતી સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન શ્રી રણછોડભાઈ ચૌહાણ દસાડા દ્રારા કરવામાં આવ્યુ આભારવિધી શબ્બીરભાઈ મીર કલાકાર એ કરી હતી આમ દસાડા ગામના આંગણે આ રૂડા અવસર પ્રસંગ ને દલિત વસ્તીપંચના આગેવાનો યુવાનો એ દીપાવ્યો હતો.(તસ્વીર - અહેવાલ : ફઝલ ચૌહાણ,વઢવાણ)