જુનાગઢમાં કોરોનાગ્રસ્તોને કીટ વિતરણ
જુનાગઢઃ સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળના દાતા અશ્વિનભાઇ પંચમિયાના માતૃશ્રી સવિતાબેન પ્રાણલાલ પંચમિયા ઉ.વ.૧૦૫ મુંબઇની પ્રેરણાથી પંચમિયા પરિવાર દ્વારા જે કોઇ વ્યકિતને કોરોના પોઝીટીવ આવેલ અથવા હોમ કવોરોન્ટાઇન થયા હોય તેવા જરૂરિયાતમંદોને માટે રોગપ્રતિકારક શકિત વધારવા માટે સંસ્થાના પ્રમુખ મનસુખભાઇ વાજા, કે. એસ પરમાર, કરસન પુરી ગોસાઇ, મનહર ઝાલા, પ્રવિણભાઇ જોષી, કે.જે.ડાભી, મનોજ સાવલીયા વગેરેની ઉપસ્થિતીમાં ૧૫ વ્યકિતઓને કીટ કે જેમાં ચ્યવનપ્રાશ, વેપરાઇઝોર મશીન, ઇમ્મુકિંગ સીરપ, વિટામીન સી ટેબ્લેટ, પ્રતિકાર ટેબ્લેટ, મલ્ટી વિટામીન ટેબ્લેટ, નીલગીરી પોપટા વગેરે વિનામુલ્યે કરવામાં આપવામાં આવેલ હતી. કીટ મેળવવા માટે અલ્પેશભાઇ પરમાર મો.નં.૯૪૨૭૨૪૨૭૭૧ તેમજ કરસન પુરી ગોસાઇ મો.નં.૯૪૨૮૯૫૩૫૯૫નો સંપર્ક કરવો.