જામકંડોરણામાં જયેશભાઇ રાદડીયાની અધ્યક્ષતામાં ઉમેદવારો સાથે વિજય વિશ્વાસ સંમેલન
જામકંડોરણા-ધોરાજી : જામકંડોરણા ખાતે રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના અધ્યક્ષ સ્થાને જામકંડોરણા જેતપુર તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની સીટો માટે ઉમેદવારો નક્કી થયા હતા તેમની જાહેરાત કરવામાં આવી હતી અને વિજય વિશ્વાસ સંમેલન સાથે રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું. રાજકોટ જિલ્લા ભાજપ ના ઉપાધ્યક્ષ ગોવિંદભાઈ રાણપરીયા જામકંડોરણા ભાજપના પ્રમુખ ચંદુભાઇ ચૌહાણ જામકંડોરણા માર્કેટીંગ યાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઈ બોદર જસમતભાઈ કોયાણી કનકસિંહ જાડેજા ચીમન ભાઈ પાનસુરીયા ખીમજીભાઈ બગડા વિપુલભાઈ બાલધા સહિતના અગ્રણીઓ તેમજ જેતપુર શહેર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ સરપંચો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર -અહેવાલ : કિશોર રાઠોડ, ધર્મેન્દ્ર બાબરીયા (ધોરાજી), મનસુખ બાલધા -જામકંડોરણા)