તામિલનાડુ આગ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને પૂ. મોરારીબાપુ દ્વારા સહાય
રાજકોટ તા. ૧૩ : ગઈકાલે તમિલનાડના વિદ્યુતનગરમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતાં ૧૭ જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. ચેન્નાઈ ખાતે રહેતા રામકથાના શ્રોતાઓ દ્વારા સ્થળ પર પહોંચી ઘટના અંગે જાત માહિતિ મેળવી છે.
આ દુઃખદ ઘટનામાં માર્યા ગયેલા હતભાગી લોકોના પરિવાર જનોને શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેકને રૂપિયા ૫૦૦૦ની તત્કાલ સહાય મોરારિબાપુ તરફથી મોકલવામાં આવી રહી છે. રામકથાના શ્રોતાઓ દ્વારા સ્થળ પર જઈ આ સહાયતા રાશિ વિતરિત કરવામાં આવશે. કુલ રકમ ૮૫ હજાર થાય છે. આ અગાઉ સમગ્ર દેશમાં કે અન્યત્ર ક્યાંય પણ આવી દુર્ધટના ઘટે છે ત્યારે મોરારિબાપુ તરફથી સહાય મોકલવામાં આવે છે.
તમામ મૃતકના નિર્વાણ માટે પૂજય મોરારી બાપુએ પ્રાર્થના કરી છે અને તેમનાં પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.