ભાવનગરના કોળિયાકના દરિયામાં ડૂબી જતાં યુવાનનું મોત
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૩ : ભાવનગર નજીકના કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવના દરિયામાં ડૂબી જતાં એક યુવાનનું મોત નીપજયું છે.
ᅠપ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગરના કરચલીયા પરા વિસ્તારમાં રહેતો સુનિલ ચીમનભાઈ વાઘેલા નામનો યુવાન આજે કોળિયાક ખાતેના નિષ્કલંક મહાદેવના દરિયામાં નહાવા ગયેલ જે દરમિયાન પાણીમાંના કરંટમાં ખેંચાતા યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો તે દરમિયાન ત્યા હાજર સાગર રક્ષક દળના જવાનોએ યુવાનને બહાર કાઢ્યો હતો અને તેને કોળિયાક સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો,જયાં ફરજ પર હાજર તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગેની જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશનું પંચરોજ કામ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે કોળિયાક દરિયામાં અવારનવાર લોકોના ડુબવાથી મોત થયા છે ત્યારે તંત્ર આ બાબતે કોઈ યોગ્ય પગલાં તે અત્યંત જરૂરી બન્યું છે.