સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th September 2021

જામજોધપુરથી સવારે દીકરીના પ્રસંગ ની ખરીદી માટે રાજકોટ જ્વા નીકળતા સમાણા રડાર થી આગળ ના ભાગે આવેલ કોઝવેના પાણીમા કાર તણાઈ જતા દંપતિનુ મોત

કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામ ના પતિ પત્ની જઈ રહ્યા હતા ત્યારે દુર્ઘટના સર્જાઈ

જામજોધપુરતા.૧૩, જામજોધપુરથી સવારે ૬ વાગે સેન્ટ્રો કારમા  દીકરીના પ્રસંગ ની ખરીદી માટે રાજકોટ જ્વા નીકળતા સમાણા રડાર થી આગળ ના ભાગે આવેલ કોઝવેના પાણીમા કાર તણાઈ જતા ૨ વ્યક્તિઓના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.

    પ્રાપ્ત માહિતી મુજબ રમેશભાઈ નારણભાઈ અધેરા - પટેલ( ઉ.૫૦)મનીષા રમેશ અધેરા ઉ-૪૭ ખાગેશ્રી તાલુકો -કુતીયાણા-જી-પોરબંદર જામજોધપુરથી સવારે ૬ વાગે સેન્ટ્રો કાર દ્વારા પોતાની દીકરીના પ્રસંગ ની ખરીદી માટે રાજકોટ જ્વા નીકળતા સમાણા રડાર થી આગળ ના ભાગે આવેલકોઝવે પાણીમા તણાઈ જતા શેઠવડાળા પીએસઆઇ ઝાલા તથા પોલીસ સ્ટાફ તેમજ આજુબાજુના ગામજનોએ રેસ્કયુ કરી કારમાં ફસાયેલ બને ને બહાર કાઢતા જામજોધપુર સરકારી હોસ્પીટલે ખસેડેલ જ્યાં મરણ જાહેર કરેલછે

 

(6:22 pm IST)