સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th November 2021

ખંભાળીયા ખાતેથી ''નિરામય ગુજરાત'' કાર્યક્રમનો શુભારંભ

 દેવભૂમિ દ્વારકા,તા.૧૩ :  જિલ્લાતમાં જનરલ હોસ્પિકટલ ખંભાળીયા ખાતેની નિરામય ગુજરાત અભિયાનના જિલ્લાત કક્ષાના કાર્યક્રમનો શૂભારંભ ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરાએ કરાવી જણાવ્યું હતું કે રાજયના નાગરિકોને જનસુખાકારીના લાભો સત્વારે મળી રહે તે માટે આપણી સરકારે અનેકવિધ મહત્વોના નિર્ણયો કર્યા છે. પ્રવર્તમાન દિવસોમાં ઝડપી અને બદલાતી જતી જીવનશૈલીના કારણે લોકોમાં જીવનધોરણ અને જીવનશૈલી આધારિત થતાં બિનચેપી રોગો જેવા કે લોહીનું ઊંચું દબાણ, ડાયાબિટીસ, મોઢા,સ્તન અને ગર્ભાશયના કેન્સર, કિડનીની બિમારી જેવા ગંભીર રોગોનુ સત્વરે નિદાન કરીને સચોટ સારવાર આપવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા નિરામય ગુજરાતની નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. રાજ્યના ૩૦ વર્ષથી વધુ વયના નાગરિકોના નિરામય ગુજરાત અંતર્ગત બિનચેપી રોગ સહિત વિવિધ ગંભીર રોગોના નિદાન, સ્ક્રીનીંગ અને સ્તવરે સારવાર કરાવી લે તેવો અનુરોધ કર્યો હતો.

 આ તકે કલેકટરશ્રી એમ.એ. પંડયાએ જણાવ્યુંી હતું કે પહેલું સુખ તે જાતે નર્યા કહેવતને સાર્થક કરવા રાજય સરકાર આરોગ્યં સેવાઓ દિવસે ને દિવસે વધારતી જાય છે.  આપણી જીવનશૈલી બદલાઈ રહી છે. જેના લીધે જે રોગ અગાઉ જોવાં મળતા ન હતાં તે પણ હવે જોવાં મળી રહ્યા છે. આવા રોગોની અગાઉથી ખબર પડે તેને વધતા અટકાવી શકાય છે. આ અભિયાન હેઠળ નિષ્ણાંત તબીબો દ્વારા લોકોને સારવાર આપવામાં આવનાર છે. દર શુક્રવારે નિરામય અભિયાન અંતર્ગત બિનચેપી રોગો થી લઇ ગંભીર પ્રકારના વિવિધ રોગ માટે સ્ક્રીનીંગ કરાશે.

આ અવસરે નિરામય કાર્ડ, પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ તેમજ ડિજિટલ હેલ્થ આઈ.ડી. મહાનુભાવોના હસ્તેજ આપવામાં આવ્યાં હતાં. ઉપસ્થિત લોકોને નિરોગી રહેવા માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યાં હતાં.  કાર્યક્રમના અંતે જિલ્લાં આરોગ્યત અધિકારી ડો. સુતરીયાએ આભારવિધી કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરી, જિલ્લાલ વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્લાો ભાજપ મહામંત્રી મયુરભાઇ ગઢવી, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, જિલ્લાા પંચાયત વિવિધ સમિતિઓના ચેરમેન સર્વશ્રી, નથુભાઇ ચાવડા, જીતેનદ્ર કણઝારીયા, સંજય નકુમ, ભરતભાઇ ચાવડા, અગ્રણી સર્વ પાલભાઇ કરમુર, હિતેશભાઇ પીંડારીયા, વી.ડી. મોરી, પ્રતાપભાઇ પીંડારીયા, મશરીભાઇ નંદાણીયા સહિતના આગેવાનો તેમજ આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારી ઉપસ્થિાત રહયા હતા. 

(12:58 pm IST)