સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th November 2021

અમરેલી જીલ્લામાં રાજકીય આગેવાનો -મહાનુભાવોની મુલાકાતથી ધમધમાટઃ સોમવારે રાજયપાલ આવશે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૩ : અમરેલી છેલ્લા કેટલાક દિવસથી અમરેલી જિલ્લો રાજકીય આગેવાનો અને મહાનુભાવોની મુલાકાતોથી ધમધમતો બન્યો હોય તેમ સ્નેહમિલન સહિતના કાર્યક્રમો સાથેનો માહોલ જામ્યો છે.

આ અંગે જાણવા મળેલ વિગતો મુજબ આગામી ૧૪મીએ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ અને કેન્દ્રીય મંત્રીશ્રી પરસોતમભાઇ રૂપાલા, રાજયના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી,  જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી આર.સી.મ કવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં સાંજના પ કલાક મુરલીધર કોટન ઇન્ડસ્ટ્રીઝ દામનગર ઢસા રોડ, નારણગઢની બાજુમાં તાલુકો લાઠી ખાતે ભાજપનું ભવ્ય સ્નેહમિલન યોજાશે. એ જ રીતે તા.૧પના રોજ ગુજરાતના રાજયપાલ દેવવ્રત આચાર્યજીની ઉપસ્થિતિમાં સાવરકુંડલાના ગણેશગઢ ખાતે ગાય આધારીત પ્રકૃતિ ખેતી શિબિર યોજાનાર છે. બંને કાર્યક્રમો માટે પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે જો કે રાજયપાલશ્રીનો સતાવાર કાર્યક્રમ જાહેર નથી થયો પણ ૧પમીએ તેનો કાર્યક્રમ યોજાય રહયો હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

(1:00 pm IST)