News of Saturday, 13th November 2021
તાલાલામાં રઘુવંશી પરિવારના ૫ સભ્યોને કોરોના પોઝીટીવ
રાજકોટ તા. ૧૩ :.. ગીર સોમનાથ જીલ્લાના તાલાલામાં રઘુવંશી પરિવારના પ સભ્યોને કોરોના પોઝીટીવ આવ્યાનું જાણવા મળ્યું છે.
જેમાંથી ર વ્યકિતઓને ઓકિસજનની જરૂર પડતા હોસ્પિટલમાં ખસેડાયાનું આધારભુત વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.
આરટી-પીસીઆર ટેસ્ટીંગ થતા ન હોય રેપીડ ટેસ્ટ કરતા કોરોના પોઝીટીવ આવ્યો છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના ટેસ્ટ ન થતા હોવાની ભારે બુમ ઉઠી છે.
(4:19 pm IST)