News of Wednesday, 14th April 2021
જસદણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઇ ધાધલ કોરોના સંક્રમિત
(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૧૪: જસદણ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અશોકભાઈ રાણીગભાઈ ધાધલ આદિત્ય વાળા કોરોના સંક્રમિત થયા છે. અશોકભાઈ ધાધલને છેલ્લા ત્રણ દિવસથી સામાન્ય તાવ, શરદી વગેરે હોવાથી ગઈકાલે તેમણે જસદણ સીએચસી ખાતે કોવિદનો રેપિડ રિપોર્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે તેમને સામાન્ય અસર હોય તેમના આદિત્ય ગેસ્ટ હાઉસ ખાતે હોમ કોરોન્ટાઈલ થયા છે. અશોકભાઈ ધાધલે લોકોને જરૂર વગર બહાર નહી નીકળવા તેમજ માસ્ક બાંધી આરોગ્યનું ધ્યાન રાખવા અનુરોધ કર્યો છે.
(11:30 am IST)