સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th May 2021

ધોરાજીમાં મ્યુકરમાઇકોસિસના ૨ કેસ દેખાયા

બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાયા : તંત્રમાં દોડધામ

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ૧૪ : ધોરાજીમાં મ્યુકરમાઇકોસિસના બે કેસ આવતા બંને દર્દીઓને ધોરાજીમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળે છે.

સામાન્ય રીતે આ રોગ વિશે નિષ્ણાંતોના મત પ્રમાણે દર્દીઓને રોગપ્રતિકાર શકિત ઓછી હોય અને તેવા અમુક દર્દીઓને નાકના પોલાણમાં અને આંખમાં અને મગજમાં આ ફુગનો રોગ લાગે છે.  એક દર્દી ધોરાજી વિસ્તારનો છે અને એક દર્દી પાટણવાવ વિસ્તારના હોવાનું જાણવા મળેલ છે. ફુગના રોગના દર્દીઓ મળી આવતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયેલ છે અને લોકોને માસ્ક પહેરવા, ડિસ્ટન્સ રાખવા, હાથ વારંવાર ધોવા સહિતની સરકારી ગાઇડલાઇનનું પાલન કરવા જણાવેલ છે.

(11:31 am IST)