News of Friday, 14th May 2021
ખંભાળીયાના આથમણાબારામાં ગેરકાયદે ખોદકામ કરતા ૩ વાહનો જપ્ત
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૪ :. ખંભાળીયાના આથમણાબારામાં ખાનગી કંપની દ્વારા સરકારી જમીનમાંથી ખોદકામ મોરમ માટીનું શરૂ કરતા સરપંચ શ્રી જાડેજાએ ખાણખનીજ વિભાગને ફરીયાદ કરતા તેમણે તુરંત જ ટીમ મોકલીને ચેકીંગ કરતા જમીનમાંથી ખોદકામ કરતા બે ટ્રેકટર તથા જે.સી.બી.ને અટકાવ્યા હતા તથા ગેરકાયદે ખોદકામ કઈ સરકારી જમીનમાંથી અને કેટલુ થયું ? તે અંગે સર્વે પણ શરૂ કરવામાં આવ્યો છે.
(1:06 pm IST)