સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th May 2021

કોરોના કેસના કારણે દ્વારકાધીશ મંદિર હજુ ૧૮ મી સુધી દર્શનાર્થીઓ માટે બંધ

(વિનુભાઇ સામાણી દ્વાર) દ્વારકા તા.૧૪ : આગામી તા.૧૮/પ/ર૦ર૧ સુધી શ્રી દ્વારકાધીશ મંદિર બંધ રાખવા નિર્ણય થયેલ છે. હવે પછી સમયગાળા માટે સરકારશ્રી સુચના મુજબ નિર્ણય કરવામાં આવશે.

હાલના સમયમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. જે ધ્યાનમાં લઇ આગામી તારીખ ૧ર/૪/ર૦ર૧ થી તારીખ ૧પ/પ/ર૦ર૧ સુધી જગત મંદિર બંધ રાખવા નિર્ણય કરવામાં આવેલ હતો.

પરંતુ વર્તમાન કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ આગામી તા.૧/પ/ર૦ર૧ થી તા.૧૮/પ/ર૦ર૧ સુધી જગત મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવે છે. જગત મંદિરમાં પુજારી પરિવાર દ્વારા) પારંપારીક નિત્યક્રમ કરવામાં આવશે. જે દર્શનનનો લાભ સંસ્થાની વેબ સાઇટ WWW.DWARKADHISH.ORG માં લાઇવ નીહાળી શકાશે જેની સર્વેએ નોંધ લેવા વિનંતી છે. તેમ  વહીવટદાર શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા અને પ્રાંત અધિકારી, દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

(2:58 pm IST)