સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th May 2022

સુરેન્‍દ્રનગરના ખેરાળીમાં ગેરકાયદે બંધ પાણીના વહેણને ખુલ્‍લુ કરવા કલેકટરને રજુઆત

 

વઢવાણઃ ખેરાળીમાં  તળાવ સુધી પાણી લઇ જતા વેણને ગેરકાયદેસર બંધ કરાયુંછે. જે ખોલવા અંગે રામજીભાઇ, લાભુભાઇ, મહેશમભાઇ, સહિતના ગ્રામજનોએ સુરેન્‍દ્રનગર જિલ્લા કલેકટર કચેરીમાં લેખિત રજુઆત કરી છે. જે અંતગર્ત ગામતળની જમીનમાં ૫૦૦થી વધુ લોકો રહે છે. વચ્‍ચે આવેલા તળાવનું વહેણ ખોલવામાં ન આવે તો તળાવ ઓવરફલો થતા ભોગાવો નદી તરફ જતા વહેણને કારણે પુર આવવાની સંભાવના છે. જેથી નિરિક્ષણ તેમજ કાર્યવાહી કરવાની લોક માંગ  ઊઠી  છે. (તસ્‍વીર અહેવાલઃ ફઝલ ચૌહાણ)

(11:41 am IST)