સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th May 2022

મોરબીમાં વિસીપરામાં યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો.

મૃતક સિરાજને માનસિક બીમારી હોય જેથી ગળેફાંસો ખાઈ અંતિમ પગલું ભર્યું હોવાનું તારણ

મોરબીમાં વિસીપરામાં અગમ્ય કારણોસર યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. આ મુદ્દે  મોરબી સીટી બી ડિવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
   આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વીસીપરા વાડી વિસ્તારમાં રહેતા 27 વર્ષીય સિરાજ રસુલભાઇ ભટ્ટીએ ગઈકાલે સવારે તા.૧૨/૦૫/૨૦૨૨ના રોજ ૦૮/૪૫ વાગ્યા પહેલા અગ્મય કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હતો.તો ધટનાની જાણ થતા મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ દોડી ગઈ હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોય તો તપાસ અધિકારી એચ એમ મકવાણા એ જણાવ્યું હતું જે મૃતક સિરાજને માનસિક બીમારી હોય જેથી ગળેફાંસો ખાઈ અંતિમ પગલું ભર્યું હતું તો સિરાજના લગ્ન થી ગયેલ છે અને સંતાન ન હોવાની માહિતી મળી હતી જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

(1:09 pm IST)