સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 14th June 2021

મોરબીના ત્રાજપર ચોકડી નજીક ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાનનું મોત

મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો

મોરબીની ત્રાજપર ચોકડી નજીક યુવાનને વીજશોક લાગતા સારવાર માટે મોરબી બાદ રાજકોટ અને અમદાવાદ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે
મોરબીના ત્રાજપર ખારી વિસ્તારના રહેવાસી રવિભાઈ લક્ષ્મણભાઈ સિરોયા (ઉ.વ.૨૨) નામના યુવાનને ગત તા. ૦૮-૦૬ ના રોજ ત્રાજપર ચોકડી નજીક ગેલેક્ષી ડમ્પર કારખાનામાં પતરા લગાવતા હોય ત્યારે ઇલેક્ટ્રિક વાયરથી ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા દાજી જતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ અને બાદમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન યુવાનનું ગઈકાલે મોત થયું હતું બનાવ અંગે બી ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(8:17 pm IST)