મોરબી:હીટ એન્ડ એન કેસ : બે સગાભાઈ અને સાળા-બનેવીનો ભોગ લેનાર મુંબઈથી ઝકડાયો : અકસ્માત બાદ ટ્રક વેંચી નાખ્યો
ટ્રક નંબર પરથી પોલીસે ઇ-ગુજકોપ પોકેટકોપમા આપેલ એકલવ્ય વ્હિકલમાં નંબર સર્ચ કરતા ટ્રકના માલીક નાગપુર હોવાનું જાણવા મળ્યું
મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા માળીયા ફાટક નજીક ગત તા. 26 જાન્યુઆરીના રોજ વહેલી સવારે રાજસ્થાનના ઉદયપુરથી મોરબી બાઈક મારફતે પહોંચેલા તેજારામ વખતારામ ગામેતી (ઉ-17) અને બસ મારફતે પહોંચેલા સુરેશભાઈ પ્રતાપભાઈ ગામેતી (ઉ.18) શિવાજીભાઈ પ્રતાપભાઈ ગામેતી (ઉ. 19) મનાલાલ ઉમેદજી કળાવા (ઉ. 19 - શિવાજીભાઈ પ્રતાપભાઈનો સાળો). આ તમામ રહે. ઉદેપુર, રાજસ્થાનના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતાં.
આ તમામને તેડવા માટે આવેલા મૂળ રાજસ્થાનના હાલ મોરબી રહેતાં દિનેશ શંભુભાઈને ઇજાઓ થતાં પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં બાદમાં સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતો, જેમાં બી ડિવિઝન પોલીસ ગુનો નોંધી મોરબીથી વઘાસીયા ટોલ પ્લાજા સુધીના તમામ સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા એક શંકાસ્પદ ટ્રક નં. એમએચ-૪૦-એકે-૯૦૫૦ નંબર જાણવા મળતા ટ્રક નંબર પરથી પોલીસે ઇ-ગુજકોપ પોકેટકોપમા આપેલ એકલવ્ય વ્હિકલમાં નંબર સર્ચ કરતા ટ્રકના માલીક નાગપુર હોવાનું જાણવા મળ્યું હતું.