સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th July 2021

૩ પીએસઆઇની અન્ય જીલ્લામાં અને ૨ નવા પીએસઆઇની સુરેન્દ્રનગર જીલ્લામાં બદલી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૪: સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ પીએસઆઈની અન્ય જિલ્લામાં તેમજ બે નવા પીએસઆઈની સુરેન્દ્રનગર જિલ્લામાં બદલી કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં તા. ૧૨ જુલાઈને અષાઢી બીજના દિવસે જિલ્લામાં ૬૭ પોલીસકર્મીઓની અરસપરસ બદલીઓ કરવામાં આવી હતી. ત્યારે તા. ૧૩ જુલાઈને મંગળવારે રાજયના જિલ્લાઓમાં બિન હથીયાર પોલીસ સબ ઇન્સ્પેકટરોની અરસપરસ બદલી કરવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી રબારી હેતલબેન માલજીભાઈને ખેડા, ગોહિલ રામદેવસિંહ જામસિંહને રાજકોટ ગ્રામ્ય તેમજ સોનારા પુષ્પાબેન રમેશભાઈની અમદાવાદ શહેરમાં પીએસઆઈ તરીકે બદલીઓ કરવામાં આવી હતી. જયારે બે નવા પીએસઆઈ આવતા ગાંધીનગરથી પીએસઆઇ સોલંકી મહાવીરસિંહ હેમંતસંગની સુરેન્દ્રનગર અને અમદાવાદ શહેરથી પીએસઆઈ ડાભી નાજાભાઈ અરજણભાઈની સુરેન્દ્રનગર જિલ્લામાં બદલીઓ કરવામાં આવી હતી.

(11:35 am IST)