વાંકાનેરના કુંભારપરામાં રામપીર મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા ચાર શકુનિઓને 19.500ની રોકડ રકમ સાથે ઝડપી લેવાયા
વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં રામપીર મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા પત્તાપ્રેમીઓને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પી આઈ એચ એન રાઠોડની સૂચનથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના દિવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા તથા પ્રતિપાલસિંહ અનિરુધ્ધસિંહ વાળાને બાતમી મળી હતી કે વાંકાનેરના કુંભારપરામાં રામાપીરના મંદીર પાસે જાહેર જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાં જુગાર રમતા નવધણભાઈ વજાભાઈ શામળ, લાલજીભાઈ બાબુભાઇ સારદીયા, રાજુભાઇ જગાભાઈ ઉઘરેજા અને અનીલભાઇ નરશીભાઇ તાવીયાને રોકડ રકમ રૂ.૧૯૫૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલીસની આ કામગીરીમાં પીઆઇ એચ.એન.રાઠોડ, હીરાભાઈ તેજાભાઇ મઠીયા, હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, કૃષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા, દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ વાળા તથા અજીતભાઇ ભુરાભાઇ સોલંકી સહિતના સ્ટાફે કરી હતી.