સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 14th September 2021

પિતાના અવસાનથી ગુમસુમ રહેતી જુનાગઢનીયુવતિએ ગળાફાંસો ખાધો

અનાજના ગોડાઉનમાં હરીપુરના પ્રૌઢનો આપઘાત

જુનાગઢ તા.૧૪ : પિતાના અવસાનથી ગુમસુખ રહેતી જુનાગઢની એક યુવતિએ ગળાફાંસો ખાય લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

જુનાગઢના જોશીપરામાં ઓધાનગરની પાછળ આવેલ પુનીતનગરમાં રહેતી પુજાબેન બાબુભાઇ સોંદરવા (ઉ.ર૩)માં પિતાનું તાજેતરમાં મોત થયા બાદ તેણી ગુમસુખ રહેતી હતી.

પિતા ન રહેતા હવે અમારૂ શું થશે એવી ચિંતા-વિચારોના કારણે ગઇ કાલે પુજાએ ગળાફાંસો ખાયને મોતને મીઠુ કરી લીધું હતું.

આ અંગેની જાણ થતા બી ડીવીઝન પોલીસ દોડી જઇ આગળની કાર્યવાહી કરીહ તી.

મેંદરડા તાલુકાના  હરીપુર ગામે રહેતા કિશોરભાઇ લખમણભાઇ માકડીયા (ઉ.પ૦) નામના પ્રૌઢે ગઇકાલે સાંજે કોઇ કારણસર અનાજ ભરવાના ગોડાઉનમાં ગળાફાંસો ખાયને આપઘાત કરી લેતા ગમગીની પ્રસરી ગઇ હતી.

(1:34 pm IST)