સવારે ૪ કલાકમાં માંગરોળમાં ધોધમાર ૬ અને કેશોદમાં ૪ ઇંચ
સોરઠમાં સતત વરસાદથી લીલા દુકાળની ભીતિ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૪ : સવારે ૪ કલાકે માંગરોળમાં ધોધમાર ૬ ઇંચ વરસાદ થતા સમગ્ર પંથકમાં પાણીપ ાણી થઇ ગયો હોવાના સમાચાર છે.
માંગરોળમાં ગત રાત્રી બાદ આજે સવારથી મેઘાએ નવેસરથી બેટીંગ શરૂ કરતા સવારના ૬ થી૮માં ૪ર મીમી અને ૮ થી ૧૦માં ૧૦૯ મીમી એટલે કે ૬ કલાકમાં ૧પ૧ મીમી એટલે કુલ ૬ ઇંચ પાણી પડયાનું નોંધાયુ હતુ.
કેશોદમાં પણ મેઘો સવારથી તુટી પડયો છે. સવારના પ્રારંભીક બે કલાકમાં ૬૮ મીમી બાદમાં ૮ થી ૧૦માં ૪૦ મીમી વરસાદ નોંધાયો છે.
જુનાગઢમાં સવારે ૬ થી ૮માં ૪પ મીમી વર્ષા થયા પછી મેઘાનું જોર ઘટતા ૮ થી ૧૦માં માત્ર બે મીમી વરસાદ થયો હતો.
સવારના ૬ થી ૧૦ના ૪ કલાકમાં કેશોદમાં વધુ ૧૦૮ મીમી, જુનાગઢ ૪૭ મીમી, મેંદરડા ર૦ મીમી, માણાવદર ૧૪, માળીયા ૮૮ મીમી, વંથલીમાં ૭૩ મીમી, અને વિસાવદર ખાતે ૧ર મીમી મેઘ મહેર થઇ હતી.