મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો ગળે ફાંસો
મરવા માટે મજબુર કર્યાની ફરિયાદ નોંધાઇ
મોરબી,તા. ૧૪: કચ્છના મોમાયમોરા ગામે રહીને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા રમેશભાઈ વજેરામભાઈ દાદલએ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેનો દીકરો પારસએ આરોપી યોગેશ ઉર્ફે મુન્નાભાઈ વાલાભાઈ સબાડ પાસેથી પોતાનું બાર તોલા સોનું ગીરવે મૂકી ૩,૫૦,૦૦૦ ઉચા વ્યાજે લીધેલ હોય તેમજ આરોપી બળદેવ કરશનભાઈ કુવાડીયા પાસેથી પોતાની મહિન્દ્રા કંપનીની એકસ્યુવી કાર ગીરવે મૂકી ૨,૭૦,૦૦૦ ઉચા વ્યાજે લીધેલ હોય જે રકમ આરોપીઓને ચૂકવાઈ જવા છતાં આરોપીઓએ મરણજનાર પારસ પાસે વ્યાજના રૂપિયાની અવારનવાર કડક ઉધરાણી કરી દબાણ કરી મરવા મજબુર કરતા આરોપીઓના ત્રાસથી કંટાળી ફરિયાદી રમેશભાઈના દીકરા પારસએ ગળેફાંસો ખાઈ મરણ ગયેલ હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.