સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th October 2021

પોરબંદર કેમીકલ્સ ફેકટરીના મીકેનીકલ એન્જીનિયર સહિત ૬ સામે બેદરકારી અંગે ગુન્હો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૪ : બીરલા (નિરમા) કેમીકલ્સ ફેકટરીમાં અકસ્માત અંગે ફેકટરીના મીકેનીકલ એન્જીનિયર સહિત સેફટી વિભાગના ૬ સામે ફરજમાં બેદરકારી સંબંધે ગુન્હો નોંધાયો છે.

બીરલા (નિરમા) ફેકટરીમાં અકસ્માતમાં ત્રણ કામદારોને ઇજા તથા ૨ કામદારોના મૃત્યુ થયેલ હતા. કેમીકલ્સ ફેકટરીમાં દોઢ માસમાં આ અકસ્માતની ચોથી ઘટના છે અને કુલ ૪ કામદારોનો ભોગ લેવાયેલ. કેમીકલ્સ ફેકટરીનું સેફટી ઓડીટ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફેકટરી બંધ રાખવાનો હુકમ કરાયો છે. ગઇકાલે કેમીકલ્સ ફેકટરીમાં અકસ્માત સંબંધે બેદરકારી માટે મીકેનીકલ એન્જીનિયર સહિત ૬ સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.

દરમિયાન જાણવા મળેલ કે રાત્રીના કેમીકલ્સ ફેકટરીના એ.ડી. વિજયભાઇ તથા વાઇસ પ્રેસીડેન્ટ વી.જી.પાટોડિયાની અકસ્માત સંબંધે પોલીસે પૂછપરછ કરી હતી.

(12:39 pm IST)