મોરબીના યુવા ઉદ્યોગપતિ અજયભાઇ લોરીયાએ અયોધ્યામાં મંદિરમાં ૨૧ લાખનું દાન અર્પણ કર્યું
(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૫: અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ પામવા જઈ રહ્યું છે. ત્યારે સમગ્ર દેશમાં નિધિ સમર્પણ અભિયાન શરૂ કરાયું છે. અને મોરબીમાં પણ ઉદાર હાથે રામ જન્મભૂમિ મંદિરમાં ફાળો આપવા અને એકત્રિત કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
ત્યારે અયોધ્યામાં રામજન્મભૂમિના નિર્માણ માટે મોરબીના યુવા ઉદ્યોગપતિ અને આગેવાન અજયભાઈ લોરિયાએ ૨૧ લાખ રૂપિયાનું રામ જન્મભૂમિ મંદિરમાં દાન અર્પણ કર્યું છે. જેથી મોરબીના રાધે પાર્ટી પ્લોટ, લીલાપર કેનાલ રોડ મોરબી ખાતે જયંતીભાઈ કવાડિયા અને સાંસદ વિનોદભાઈ ચાવડાનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં રાજયના પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા પ્રદેશ ઉપપ્રમુખ અને સાંસદ વિનોદભાઈ ચાવડા પ્રદેશ મહામંત્રી, રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયા, એપીએમસી ચેરમેન મગનભાઈ વડાવીયાએ યુવા ઉદ્યોગપતિ અજયભાઈ લોરિયાનું સન્માન કરાયું હતું. (૨૨.૨૭)