હળવદનાં દેવળીયાની સીમમાં ૧ર ટીટોડીના મોત
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું કારણ બહાર આવશે
વઢવાણ-હળવદ, તા. ૧પ : હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં આવેલ તળાવમાં એકી સાથે ૧૨ ટીટોડીના મોત થતા ગામલોકોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી તેમજ ૫ ટીટોડી ને ગંભીર હાલતમાં મળી આવી હતી.
બનાવની જાણ દેવળિયા ગામ લોકોને થતા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દેવળીયા ગામે દોડી ગયા હતા ત્યારબાદ પશુ ડોકટર અને સ્ટાફના માણસો દેવળીયા ગામે દોડી ને ૧૨ ટીટોડીના મૃતદેહ પીએમ માટે રાજકોટ મોકલી આપ્યા હતા અને ૫ ટીટોડીની સારવાર હળવદના પશુ દવાખાને સારવાર શરૂ કરાઇ હતી આ અંગે હળવદના પશુ ડોકટર ને પૂછતા તેવોએ જણાવ્યું હતું કે દેવળીયા ગામે થી ૧૨ ટીટોડીના મૃકતદેહ અને ૫ ટીટોડી ગંભીર હાલતમા મળી આવી હતી પરંતુ હાલ તો ટીટોડીનું મોત ઠંડીના કારણે મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. પરંતુ પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ બહાર આવી શકે તેમ જણાવ્યું હતુ.