રાપરની પરિણીત મહિલાનું અપહરણ કરી ધર્મપરિવર્તન
માતાની અરજી બાદ કોર્ટે હુકમ કરતાં ગુનો નોંધાયો : ત્રણ વર્ષ સુધી ગોંધી રાખી
ભુજ,તા. ૧૫: રાપર તા.ની વિપ્ર પરિણીત યુવતીના અપહરણ અને ધર્માંતર સાથે નિકાહ કરવાના મુદ્દે કોર્ટે કરેલા હુકમ બાદ પોલીસે એક મહિલા સહિત ચાર જણા સામે ગુનો નોંધ્યો છે.
રાપર તા.ના ડાવરી ગામે રહેતાં ૬૦ વર્ષીય જીવતીબેન નથુરામ મઢવીએ રાપર જયુડિશિયલ ફર્સ્ટ કલાસ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કરેલી અરજી અન્વયે ત્રણ વર્ષ પૂર્વે ૭ જુલાઈ ૨૦૧૯ ના તેમની પરિણીત યુવાન પુત્રીનું સંતાન સાથે સેલારી ગામના આમીન જાનમામદ નોડે, આમદ કરીમ સોઢા, મદીનાબેન આમદ સોઢા અને શેખ મહમદ મુજ્જમીલ હુસેને અપહરણ કરી તેને ગોંધી રાખી પરિણીત હોવા છતાંયે પરિવર્તન કરી નિકાહ કરાવ્યા છે.
આ ફરિયાદ સાથે ૮ ડિસેમ્બર ૨૦૨૧ના તેમણે કોર્ટ અરજી કરી હતી. જે બાબતે કોર્ટે કરેલા હુકમ બાદ રાપર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.