News of Saturday, 15th January 2022
વાંકાનેરની સરકારી હોસ્પીટલના ૩ તબીબોને કોરોના
(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ૧૫: વાંકાનેરની સરકારી હોસ્પીટલના મેડીકલ ઓફીસર સહીત ૩ તબીબોને કોરોના થતા ચિંતા પ્રસરી ગઇ છે. આ ત્રણેય તબીબો પોતાના ઘરે હોમ કોરોન્ટાઇન છે. હાલમાં તબીબ ન હોવાથી હોસ્પીટલમાં ૭ વર્ષના બાળકને કુતરૃ કરડી ગયા બાદ સારવાર માટે ખસેડવામાં આવતા વાલીઓ મુંઝવણમાં મુકાઇ ગયા હતા. જો કે ડોકટર પરમારની સુચના મુજબ બાળકને પ્રાથમીક સારવાર હોસ્પીટલમાં આપવામાં આવી હતી.
(11:59 am IST)