સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

જુનાગઢમાં વ્હેલી સવારે માનસિક ટેન્શનથી કંટાળી મહિલાનો ગળાફાંસો

રૃદલપુરનાં યુવાનનું ઝેરી દવા પીતા મોત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧પઃ જુનાગઢમાં વ્હેલી સવારે રેવતીબેન ભીમાભાઇ ડાંગર (ઉ.વ. ૪પ) એ ગળાફાંસો ખાયને મોતને મીઠું કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

શહેરનાં મધુરમ વિસ્તારમાં રહેતા ૪પ વર્ષીય રેવતીબેન માનસિક ટેન્શનથી કંટાળી ગયા હતા. આજે સવારે ૪ વાગ્યે પોતાના ઘરે ચુંદડી વડે ઇલેકટ્રીક પંખા સાથે લટકીને ગળાફાંસો ખાય લીધો હતો.

આ મહિલાને સિવીલમાં સારવાર માટે ખસેડવામાં આવતા જયાં તેમને મૃત જાહેર કરવામાં આવેલ.

ઝેરી દવાથી મોત માંગરોળ તાલુકાનાં રૃદલપુર ગામનાં નાથાભાઇ જોધાભાઇ કોડીયાતર (ઉ.વ. ૩૦) નું કોઇ કારણસર ઝેરી દવા પીવાથી મોત થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

(2:06 pm IST)