સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th February 2021

મોરબીમાં પુલાવમાં શહીદ જવાનોને ગ્રંથના ઉચ્‍ચારણ, મૌન પાળીને શ્રધ્‍ધાંજલી અર્પણ

 (પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૧૫ : ૧૪ ફેબ્રુઆરીના રોજ પુલવામાંમાં થયેલા આતંકી હુમલામાં દેશના વીર જવાનોએ શહાદત વહોરી હોય ત્‍યારે આજે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહીદ ગ્રંથના ઉચ્‍ચારણ તેમજ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી

મોરબીના ક્રિષ્‍ના પાર્ટી પ્‍લોટ ખાતે મોરબીની અનેક સંસ્‍થા અગ્રણીઓ, શાળાના શિક્ષકો, ઉદ્યોગપતિઓ એકત્ર થયા હતા અને ક્રાંતિકારી સેના દ્વારા લખાયેલ શહીદ ગ્રંથના એબીસીડી ઉચ્‍ચારણો સાથે પુલવામાં અટેકમાં શહીદ થયેલ શહીદોને મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

(1:13 pm IST)