સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th May 2021

મોરબી જીલ્લામાં કોરોના કેસો ઘટ્યા, નવા ૩૪ કેસ નોંધાયા અને ૮૯ દર્દીઓ સ્વસ્થ થયા.

મોરબી જીલ્લામાં કોરોના કેસો ઘટી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે આજે કોરોનાના નવા ૩૪ કેસ નોંધાયા છે જયારે ૮૯ દર્દીઓ સ્વસ્થ થયા છે આજે સરકારી ચોપડે એકપણ મૃત્યુ નોંધાયું નથી

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૯ કેસો જેમાં ૦૮ ગ્રામ્ય અને ૧૧ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના ૦૩ કેસો શહેરી વિસ્તારમાં, ટંકારા તાલુકાના ૦૮ અને માળિયા તાલુકાના ૦૪ કેસો મળીને નવા ૩૪ કેસ નોંધાયા છે આજે વાંકાનેરમાં એકપણ નવો કેસ નોંધાયો નથી જયારે જીલ્લામાં કુલ ૮૯ દર્દીઓ આજે સ્વસ્થ થયા છે
નવા કેસો સાથે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૭૪૩ થયો છે આજે કોવિડ પ્રોટોકોલ મુજબ ૦૩ મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા છે

(9:49 pm IST)